વિરમગામ ટાઉન પોલીસ ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી ની અધ્યક્ષતા માં વૃક્ષારોપણનું આયોજન…

વિરમગામ,

વિરમગામ ટાઉન પોલીસ ઇન્ચાર્જ  ડી.વાય.એસ.પી, પી.ડી.મણવર ની અધ્યક્ષતામાં વિરમગામ પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણનું સુંદર આયોજન કરવામાં આવ્યું. વૃક્ષારોપણ કાર્યક્રમ અગાઉ આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરમગામ અલીગઢ પાસે આવેલ પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામા આવ્યુ. જેમા વિરમગામ રામમહેલ મંદિરના મહંત શ્રીમહામંડલેશ્વર, મહંત શ્રીરામ કુમારદાસજી મહારાજ, મ્યુ કાઉન્સિલરો, આગેવાનો, સામાજીક કાર્યકરો, એડવોકેટ તેમજ વિરમગામ ટાઉન પી.અ‍ાઇ. જે.આર.ઝાલા તથા પી.અેસ.આઇ સૈયદ, પરમારભાઈ તેમજ સ્ટાફ મિત્રો અને રૂરલ પી.અેસ.આઇ ઝાલા તેમજ તેમનાસ્ટાફ મિત્રો અને હોમગાર્ડના જવાનો, ટી.આર.બી.ના જવાનો અને ફોરેસ્ટના જવાનો ની સાથે પોલીસ લાઇન કંપાઉન્ડમા વૃક્ષા રોપણ કરવામા આવ્યુ હતુ. વધુ વૃક્ષો વાવો અને વૃક્ષોનું જતન કરો ના સંકલ્પ સાથે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિરમગામ ટાઉન પી.આઈ. જે. આર.ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : નસીબ ખાન મલેક, વિરમગામ

Related posts

Leave a Comment